Wednesday 21 October 2015

મારે આ લોક નહિં લોકોને ફેરવવા છે..!

નથી ફેરવવી દુનિયા મારે
મારે વિચારોને ફેરવવા છે..!
આકાર બધાના હોય એકસરખા
આવતા વિકારોને ફેરવવા છે..!

નથી ફેરવવો સમાજ મારે
મારે સમજણને ફેરવવી છે..!
પરંપરા હોય બધાની એકસરખી
પાડનારી પ્રજાને ફેરવવી છે..!

નથી ફેરવવા ભગવાન મારે
મારે થતી ભક્તિને ફેરવવી છે..!
કૃપા બધા પર હોય એકસરખી એમની
કરાતા કર્મોને ફેરવવા છે..!

નથી ફેરવવું જીવન મારે
મારે જરૂરિયાતને ફેરવવી છે..!
મંઝિલ બધાની છેવટે એકસરખી
બસ,મેળવવાનો માર્ગ ફેરવવો છે..!

એટલે જ,મારે આ લોક નહિં લોકોને ફેરવવા છે..!


No comments:

Post a Comment