Friday 25 September 2015

વર્ષાઋતુ નો વિશિષ્ટ વિચાર..

વર્ષાઋતુ નો વિશિષ્ટ વિચાર..

માણસોએ સુખ ને દુઃખના કર્યા કરાર..

બસ,તે'દિ થી થયા છે લોકો પણ ગવાર..

અશાંતિથી થઈ ગયા છે મન ચિક્કાર..

ઘટે છે બસ શાંતિ નો છમકાર..

જોવે છે રાહ ક્યારે આવે સુખનો ઝણકાર..

જો ન આવે,તો માગે છે સુખનો ચમત્કાર..

અને જો મળી જાય તો તેની જ સામે અહંકાર..

ને થય જાય પછી જીવનમાં હાહાકાર..

માફી માગે ઉપરવાળા પાસે અનરાધાર..

અને કહે બધા ને કે થઈ ગયા નિરાધાર..

ને કરે ફરિયાદ ભગવાન ને કે આજ તારો વિચાર..?

શું કહેવું મારે આ લોકોને કે કૃપા એની અપરંપાર..

પરવા છે એને માટે તો કહેવાય પરવરદિગાર..!

પૂજનને પણ નથી ખબર કોણે આપ્યો

આ વર્ષાઋતુ નો વિશિષ્ટ વિચાર..!

No comments:

Post a Comment