Tuesday 15 September 2015

હે ભગવાન..

ન માનું તો તુ મૂર્તિમાં પણ નથી 
ને માનું તો કણ-કણ માં છે
હે ભગવાન..

કૃતજ્ઞ છુ તારો કે તે મને મનુષ્ય કર્યો..
શું કહું માત-પિતા ને કે જેમને મને ઉગાર્યો..

બસ! તુ જ છે એક જેને મુશ્કેલી માંથી ઉગાર્યો..
જ્યાં પાછો પડ્યો કે ત્યાં નસીબે ઉપડ્યો..
પડ્યો બેઠો થયો..પડ્યો ને ફરી પડ્યો ને પડ્યો..
પણ આ વખતે જીતી આવ્યો જંગ.. ને આવ્યો..

શું કહું માત-પિતા ને કે જેમને મને ઉગાર્યો..

જીંદગી ના કેટલાકક માધ્યમો એ મને માર્યો..
પણ તારી કૃપા એ અને દુઆ એ મને બચાવ્યો..
ક્યારેક આરોપોએ તો ક્યારેક મહેનતે નીચો દેખાડ્યો..
પણ તારા ફેંસલા અને ખુમારી એ નિર્દોષ ઠેરાવ્યો..

શું કહું માત-પિતા ને કે જેમને મને ઉગાર્યો..

વધતી જતી મોંઘવારીએ તો મને પાયમાલ કર્યો..
પણ આ ભાવવિભોર કુટુંમ્બે મને ન્યાલ કર્યો..

શું કહું માત-પિતા ને કે જેમને મને ઉગાર્યો..

No comments:

Post a Comment