Tuesday 14 November 2017

આ બધું શા માટે? કોના માટે? શુંકામ?

"આ બધું શા માટે? કોના માટે? શુંકામ?" જો આ પ્રશ્નોના જવાબ વગર આપણે કામ કરીએ તો એ કામ..કામ નહિ કમજોરી બની જાય છે. તેનાથી થતી માનસિક ખરાબ હાલત તેમાંથી બહાર નીકળવા લાગતો સમય અને તે કામ પૂરું નો થાય ત્યાં સુધી આપણા સ્વજનો ઉપર ઉતારેલો ખાર,નો બોલવાનું બોલીને સંભળાવી દેવું, વારેવારે મગજનું તાપમાન વધી જવું વગેરે જેવી બાબતો અનુભવાય છે.
આ ઉપરાંત જેના માટે કામ કરીએ છીએ એને પણ નો બોલવાનું બોલી દઈએ છીએ. કામ કદાચ એટલે જ ધારી સફળતા મેળવતું નથી કેમ કે તમે એ વ્યક્તિનું કામ કરો છો જેને તમારું એક પણ કામ કર્યું નથી છતાં તમે સારા લાગવા માટે એનું કામ માથે ઉપાડ્યું છે ને ઈચ્છા નો હોવા છતાં મજબૂરીમાં એ કામ કરવું પડે છે. શું આ કામ પર જ સંબંધ ટકેલો છે? આ સવાલને બદલે જો હું આ કામ નહિ કરું તો એને ખોટું લાગશે ને વળી ક્યાંક એ મારી સાથે નહિ બોલે તો? મારુ કોણ? હું એકલો કે એકલી શું કરીશ ! ક્યાંક પોતાનો સ્વાર્થ અહીં આવી જતો હોવાથી પણ માણસ બીજાના કામ કરે છે. એને એક ભય છે કે જો એ વ્યક્તિ ચાલ્યો જશે તો પોતાનું કોણ?
પોતે બધી જ રીતે આગળ વધીને પોતાનું કામ કરશે જ એવો આત્મવિશ્વાસ હજુ મારા જેવા ભણેલામાં ખૂટતો જોવા મળે છે. જયારે આજના વડીલો અમારાથી મોટા અને જમાનાના ખાધેલા લોકો એટલી ખુમારીથી જીવે છે કે તેઓ સંબંધ બેય બાજુથી જળવાઈ તો જ રાખે છે બાકી પડતો મૂકે છે.
સંબંધની પરિભાષામાં અમારામાં અને એમનામાં ઘણો તફાવત જોવા મળે છે. તેઓના મતે કામ નો હોવા છતાં સુખની તેમજ દુઃખની વાતો કરવી એ સંબંધ છે. જયારે અમારે મન સંબંધ એ ઉપયોગ ઉપભોગ અને ઉપરી લાગણીથી થતો એક બંધ છે કે જે ગમે ત્યારે તૂટે છે અને જેનાથી દુઃખ કોઈ એક ને જ થાય છે કેમ કે બંને આ સંબંધમાં સ્વીકૃત હોતા જ નથી. કદાચ એટલે જ થોડા સમયમાં અમે કામ કરીને થાકી જઈએ છીએ જયારે વડીલો ટેન્શનમાં પણ ભરપૂર નીંદર કરી લે છે કેમ કે એમને ખાતરી છે કે છેલ્લે કોઈ નહિ તો ઉપરવાળો તો હાથ ઝાલશે જ..જયારે અમારા મનમાં શંકા ને ભય સતત મંડરાયા કરે છે!
#sabdnisafar 

No comments:

Post a Comment