Tuesday 14 November 2017

અપસોસ?!

માત્ર ૨૪ જ વર્ષે સાહિત્ય જગતમાં ઝળહળતો સિતારો બની જનાર કથન ઝરીવાલાને જ્યારે પૂછવામાં આવ્યુ કે તમારી જીંદગીમાં કોઈ એવી ક્ષણ ખરી કે જેનાથી તમને અપસોસ થયો હોય?
"ના, મને અપસોસ થયો હોય એવો નિર્ણય મને યાદ નથી. હા, જરૂર મારા નિર્ણયથી ઘણાંને અપસોસ થયો હશે. મૈં ઘણાં એવા મારા મનની મરજીથી લિધેલા ખોટા નિર્ણયોના પરિણામો ભોગવ્યા છે. મારા મિત્રો સહિત આસપાસના લોકોએ પણ ભોગવ્યા છે. ઘણા રડ્યા છે તો ઘણાંને રડાવ્યા છે. આને મારી ભૂલ કહીશ! કેમકે, લોકોનો અને મારો સંબંધનો સરવાળો અલગ છે. મને પ્રેમ વગર પણ સંબંધ ધરાવામાં માનું છું. 

પછી, એ લાગણીથી હોય કે શારીરીક! હું લોકોને મારા વશમાં કરી શકવાની આદત ધરાવું છુ. આનાથી ગેરફાયદો છે..લોકો તમને સમજી શકતા નથી. તમારા વિશે અનહદ અફવાઓ ઊડે છે. જાત સોંપી દેવા તૈયાર થયેલા મિત્રો થોડા સમય પછી તમારી ઠેકડી ઊડાડવા કે તમને નીચા દેખાડવા સતત મથતા રહે છે. પળપળ સાથે રહેવાના ઈરાદાઓથી જેની સાથે તમે સંબંધ બાંધો છો તેઓ જ તમને નફરત કરવા લાગે છે. શું કામ? કેમકે, તેમને એમ લાગે છે કે તમે એનો ઉપભોગ કરેલો છે. જ્યારે મારું વાંચન કહે છે કે બંનેના સહયોગથી સંધાયેલો સંબંધ એ ઉપભોગ નથી. જ્યારે સંબંધમાં આદત અને જરૂરિયાત પેદા થાય છે ત્યારે આ બધા પ્રશ્નો ઉત્પન્ન થાય છે. હકને સ્થાને હુકમ તેમજ અધિકારને બદલે આધિપત્ય સંબંધનો વિનાશ સર્જે છે. કેમકે, હક સમાન હોય જ્યારે હુકમ કોઈ એકનો હોય! અધિકાર બંનેને હોય જ્યારે આધિપત્ય કોઈ એકનું હોય! બાકી, મારાથી વિશેષ કે કોઈનાથી વિશેષ મને પ્રેમ કરવાવાળા લોકો મળી રહેવાના છે. જેના ઉદરમાંથી હું આવ્યો એનાથી વધુ પીડા કદાચ મૈં કોઈને આપી નહિં હોય! છતાં મારી દરેક ખુશીમાં એની ખુશી હોય છે. તો આટલો પ્રેમ તો કદાચ કોઈ મને કે હું કોઈને કરી શકુ નહિં! માટે, સંબંધનું જતન ને પરિવર્તન નિશ્ચિત છે. આથી, મૈં જીવનમાં અપસોસ તો નહિં પણ ભૂલો અઢળક કરી હશે."

લોકો કહે છે કે તમે અહંકારી છો. તમે એકવખત સંબંધ છોડ્યા પછી તેને ફરી બાંધવાનો પ્રયત્ન નથી કરતા?
"સંબંધ છોડવાનો ક્યારેય ના હોય..કે ના સંબંધ તૂટે..કેમકે, દિકરો માતાથી અળગો થાય તો પણ દિકરો દિકરો જ રહે છે. સંબંધનું મહત્વ ચોક્કસ ઘટે છે. હું તો આ જ વાતમાં માનું છુ. કેમકે, જીવનરૂપી વર્તુળ મોટું થાય ને તમારે કેન્દ્રમાં રહેવું હોય તો ત્રિજ્યાઓ ટૂંકી કરવી પડે. આ વાત આપણે વર્ષોથી મહાનુભાવોના મોઢે સાંભળતા આવીએ છીએ. માટે, હું કોઈને છોડતો નથી કે એને ત્યજી દેતો. હું ઝઘડાઓ કે જૂના સંબંધને પણ સરખું જ મહત્વ આપુ છુ. મૈં આગળ કહ્યુ એમ લોકોના સરવાળાઓ અલગ હોય શકે..મંતવ્યો અલગ હોય શકે. ઉપરાંત રક્ષક હોય ત્યાં ભક્ષક તો હોવાના જ! એટલે હું અહંકારવાળી વાતને માન્ય ગણાવતો નથી."
રિપોર્ટરની આંખમાં આંસુ જોઈને કેમેરામેનને 'કટ' એવો સાદ પડ્યો. ડાયરેક્ટરે તરત જ કથનને પાસે આવીને કાનમાં કહ્યુ.
"સૉરી સર..અમારા રિપોર્ટરને કંઈક થઈ ગયુ છે. હું હમણાં જ તેની ખબર લઉં છુ."
"રહેવા દો..સાહેબ! એ એની જૂની આદત છે. આજે ૫ વર્ષે મૈં આંસુઓને વ્યકત કર્યા છે, ને એને એના સવાલોને! અહિં ખબર લેવાથી કંઈ નહિં થાય! તમારે ભૂતકાળ ભૂલાવવો પડશે."
કથન ત્યાંથી સરકી પડ્યો. કદાચ, આજે રિપોર્ટર થઈને પલકે તેને ના મળેલા જવાબો પૂછી નાખ્યા. અહિં પલકને કથનની માનસિકતા તો કથનને પલકની ધારણાં સમજાઈ. છોડી દિધેલા સંબંધોની ત્રિજ્યાઓ તો ટૂંકી નહિં થાય પણ બંનેના વિચારોના પરિઘ ચોક્કસ બદલાશે.સામાન્ય રીતે આપણે આવી જ કંઈક સમસ્યાઓનો સામનો કરીએ છીએ, ખરું ને? 
ભૂલીને આ સંબંધો નવી એક શરૂઆત કરીએ..
કોઈનું થાય કે નહિં ચાલ જાતનું તો ભલું કરીએ!
#sabdnisafar

No comments:

Post a Comment